વિજ્ઞાનીઓએ એવી ટેક્નિક વિકસિત કરવાનો દાવો કર્યો છે, જેમાં પાર્કિન્સન્સ અને બ્રેન હેમરેજના દર્દીઓનો ઇલાજ ચુંબકની મદદથી થશે. ટેકનિક વિકસિત કરનાર ઓસ્ટ્રેલિયન ન્યૂરોમસ્કુલર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, બ્રેન હેમરેજ પછી યાદશક્તિ ગુમાવવા અને પાર્કિન્સન્સ જેવા રોગો (શરીર ધ્રૂજતા રહેવાની બીમારી)નો ઇલાજ કરી શકાશે.
આ ટેકનિકથી ચુંબકીય ક્ષેત્ર દ્વારા મગજના અસરગ્રસ્ત ભાગને ઉત્તેજિત કરવામાં આવે છે. ટીમનું નેતૃત્વ કરી રહેલા પ્રોફેસર ગેરી થિકબ્રૂમે જણાવ્યું કે, ચુંબકમાં મગજના અસરગ્રસ્ત ભાગોને વ્યવસ્થિત કરવાની ક્ષમતા હોય છે. તેમણે જણાવ્યું કે, પાર્કિન્સન્સના દર્દીઓમાં તેમને આ ટેકનિકથી ઇલાજ કરવામાં સફળતા હાંસલ થઇ છે.
આ ટેકનિકથી ચુંબકીય ક્ષેત્ર દ્વારા મગજના અસરગ્રસ્ત ભાગને ઉત્તેજિત કરવામાં આવે છે. ટીમનું નેતૃત્વ કરી રહેલા પ્રોફેસર ગેરી થિકબ્રૂમે જણાવ્યું કે, ચુંબકમાં મગજના અસરગ્રસ્ત ભાગોને વ્યવસ્થિત કરવાની ક્ષમતા હોય છે. તેમણે જણાવ્યું કે, પાર્કિન્સન્સના દર્દીઓમાં તેમને આ ટેકનિકથી ઇલાજ કરવામાં સફળતા હાંસલ થઇ છે.
No comments:
Post a Comment