માણસનું સૌંદર્ય થોડા ઘણા અંશે પણ એની ચામડી ઉપર આધારિત રહે છે અને ચામડીનાં સૌંદર્યનો સૌથી મોટો આધાર સમગ્ર શરીરની તંદુરસ્તી ઉપર છે. સૌંદર્ય બક્ષતી ચામડીમાં જો સફેદ ડાઘ થાય તો દરેક માણસ ઘેરી ચિંતામાં મુકાઇ જાય છે. આજકાલ આવા સફેદ ડાઘવાળા દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તેઓ આવા ડાઘ દૂર કરવા માટે ખૂબ જ પૈસા ખર્ચે છે. લાંબી ચિકિત્સા બાદ તેઓ પરેજી અને દવાઓથી કંટાળી જઇને છેવટે તેને મટાડવાના ઉપાયો જ છોડી દે છે અને પરિણામે ધીમે ધીમે વધતા જાય છે. ડાઘના રોગોમાં ટેન્શનનું પ્રમાણ વધુ હોય તો કોઇપણ આૈષધ ફાયદો બતાવતું નથી અને આવા રોગી પોતાના સફેદ ડાઘને કારણે સતત ચિંતાશીલ જ રહેતા હોય છે. એ પણ એક આ રોગની કરુણતા છે. આવા રોગમાં ચામડી ઉપર શરૂઆતમાં વાળ કાળા રહે છે અને ધીમે ધીમે સફેદ થવા માંડે છે. કાળા વાળ હોય ત્યાં સુધી રોગમાં સુધારો થવાની શક્યતા વધારે છે.
અમારા એક સંબંધી મિત્ર ત્રણેક મહિના પહેલાં ચિંતાતુર વદને મને મળવા આવ્યા. થોડી ઘણી વાતો બાદ એમણે એમના પીઠના પાછળના ભાગમાં સફેદ ડાઘ બતાવતાં કહ્યું કે આ સફેદ ડાઘ તો ધીમે ધીમે વધતો જ જાય છે અને એમની ચિંતાનું મુખ્ય કારણ તો એ હતું કે આવા સફેદ ડાઘની શરૂઆત મોઢા ઉપર પણ થઇ ગઇ હતી અને જો આવા ડાઘ વધી જાય તો આ રોગ વારસાગત છે એમ માની જ્ઞાતિમાં એમની દીકરીના લગ્નમાં પણ મોટું વિઘ્ન વધી જાય. મેં સૌથી પહેલાં તો એમને ચિંતા છોડી દેવાની સલાહ આપી. અચાનક એમને યાદ આવ્યું કે ઘણાં વર્ષો પૂર્વે આવા જ કોઇ દર્દને લઇને એ મારા પિતાજીને મળ્યા હતા અને એમની કોઇક ગોળીથી એ દર્દીને સફેદ ડાઘ દૂર થયા હતા. એમની આ વાતે એમની ચિકિત્સા કરવામાં એક નવી દિશા બતાવી. ત્રણેક ફાઇલોમાંથી ફૂલજરી-સફેદ ડાઘનો અકસીર ઉપાય લખેલ થોડાં પેપર્સ મળ્યાં. તાત્કાલિક આ ગોળી બનાવવી ફૂલજરી અને બીજી કેેટલીક દવાઓ સાથે એમની ચિકિત્સા શરૂ કરી ધીમે ધીમે સફેદ ડાઘમાં ચામડીનો કુદરતી રંગ આવતો ગયો.
બરાબર ત્રણ મહિને હમણાં જ તેમને સફેદ ડાઘ બિલકુલ ઓછા થઈ ગયા. તે જોયા પછી તો આ ગોળી મોટા પ્રમાણમાં બનાવી અને બીજા દર્દીઓ ઉપર છુટથી ઉપયોગ કર્યો. તેમના પરના આ અનુભવને લીધે જ આ લેખ લખવા વિચાર્યું. ફુલજરીની ગોળી જે મારા પિતાજીએ બહોળા વૈધ્યકીય અનુભવના આધારે બનાવી હતી જેનું હું વર્ણન કરંુ છું.
ફૂલજરી મુખ્યત્વે પારિજાતમાંથી બનાવાય છે. મોટા બાવચાંને રાત્રે પલાળી સમભાગે કાળા તલ સાથે મેળવી ઘાણીમાં પીલી તેલ કાઢવું. પારિજાતનાં ફૂલ અને તેલ વારંવાર નાખતા જવું અને ઘૂંટતા જવું. ત્રણ અઠવાડિયા સુધી આ ક્રમ જાળવી રાખવો ત્યારબાદ જો તેલની ચીકાશ વધારે હોય અને ગોળી બની શકે તેમ ન હોય તો પારિજાતનાં પત્તાં તેના વજન પ્રમાણે મેળવવા અને ખૂબ બારીક ઘૂંટવા. ગોળી બનવા જેવું થાય ત્યારે 250 મિ.ગ્રામની ગોળી બનાવી લેવી. સુકાયા પછી બાટલીમાં ભરી લેવી.આ ગોળી શરૂઆતમાં 1-1 ગોળી ત્રણ વખત લેવી.
ખેરાલ 10 ગ્રામ, બાવચી 250 ગ્રામ તેનો ભૂકો કરી બે કપ પાણીમાં ઉકાળી 1 કપ રહે ત્યારે ગોળી બાટલીમાં ભરી લેવું. તેના ત્રણ ભાગ કરી ઉકાળા સાથે ત્રણ વખત લેવાની છે.
બીજા અઠવાડિયામાં ગોળીનું પ્રમાણ 1-1 વધારવું. દર અઠવાડિયે રોગીએ પોતાનું બલાબલ અને રોગનું બળ ધ્યાનમાં રાખી પ્રયોગ કરવા. 7-7 ગોળી ત્રણ-ચાર આપીને આ પ્રયોગ કર્યો છે. કોઇકને કદાચ દાહ-બળતરા જેવું જણાય તો રસાયન ચૂર્ણ ૩ ગ્રામ સાકર સાથે એકવાર લેવાં.
આ ગોળીને ગૌમૂત્રમાં કે લીંબુના રસમાં ઘૂંટીને ડાઘ ઉપર લગાવી. સૂર્યનાં કિરણો લેવાનું સૂચવું છું. કેટલાકને ચામડી ઉપર ફોલ્લો થઇ આવે કે ચામડી ખરબચડી થાય ત્યારે એકાદ બે દિવસ આ દવા લગાડવી નહીં. ફરીથી પાછી લગાડવી જેમાં આવો ફોલ્લો કે ચામડી ખરબચડી થાય છે. તેમાં ચામડીનો કુદરતી રંગ આવી જાય છે. આધુનિક વિજ્ઞાનમાં આને લ્યુકોડમૉ કહે છે. લ્યુકો એટલે સફેદ અને ડમૉ એટલે ડાઘ થાય છે.‘
આયુર્વેદ, ડો. શ્રીરામ વૈધ્ય
OH THANKS MAN REALLY HELPFUL BUT CAN I GET THIS MEDICINE DIRECTLY I NEED IT?......RELPLY ME bhavesh_2500@yahoo.com
ReplyDeletesir આ દવા કયાં મળે છે? જરા જણાવશો તો મહેરબાની
ReplyDeletemo 9725877205 Radhanpur
Pleas આ દવા ક્યાં મળે છે.?જરા મને જણાવશો મને.
ReplyDeleteઆ દવા કયા મળશે એ મને જણાવશો આ નંબર ઉપર.9638978548
Deleteઆ દવા કયા મળશે એ મને જણાવશો આ નંબર ઉપર.9638978548
ReplyDelete