એવું લાગે છે કે તમારા દાદી સાચા હતાં- એક દિવસનો ઉપવાસ તમારા આરોગ્ય માટે સારો છે. નવા અભ્યાસમાં જણાવાયું છે કે ૨૪ કલાક ખોરાક વિના રહેવાથી હૃદયરોગ અને ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી શકે છે. સંશોધકોએ અમેરિકાના ઉટાહ રાજ્યના ૨૦૦થી વધુ રહેવાસીઓનાં આરોગ્ય અને આદતોનાં વિશ્લેષણને આધારે તારણો કાઢયાં છે. આ રાજ્યના મોર્મોન સંપ્રદાયના ઘણા લોકો માટે મહિનામાં કમસેકમ એક ઉપવાસ જીવનનો એક ભાગ છે.
એક્સ-રે સ્કેન્સે દર્શાવ્યું હતું કે જે લોકો ઉપવાસ કરતા ન હતા તે પૈકીના ૭૫ ટકા લોકોમાં ધમનીઓ સાંકડી થઇ હતી. આનાથી વિપરીત ઘણી વખત ભોજન ન કરતા લોકો પૈકીના ૬૩ ટકા લોકોમાં ધમનીઓમાં અવરોધ ઊભો થયો હતો. અભ્યાસે દર્શાવ્યું છે કે ઉપવાસથી ડાયાબિટીસ થવાનું જોખમ લગભગ અડધું થયું હતું. જો કે ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દર્દીઓને ઉપવાસની ભલામણ કરતા પહેલાં વધુ સંશોધનની જરૂર છે
એક્સ-રે સ્કેન્સે દર્શાવ્યું હતું કે જે લોકો ઉપવાસ કરતા ન હતા તે પૈકીના ૭૫ ટકા લોકોમાં ધમનીઓ સાંકડી થઇ હતી. આનાથી વિપરીત ઘણી વખત ભોજન ન કરતા લોકો પૈકીના ૬૩ ટકા લોકોમાં ધમનીઓમાં અવરોધ ઊભો થયો હતો. અભ્યાસે દર્શાવ્યું છે કે ઉપવાસથી ડાયાબિટીસ થવાનું જોખમ લગભગ અડધું થયું હતું. જો કે ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દર્દીઓને ઉપવાસની ભલામણ કરતા પહેલાં વધુ સંશોધનની જરૂર છે
No comments:
Post a Comment