કહેવત છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઇએ, બપોરનું જમવાનું રાણીની માફક અને રાતનું વાળું હંમેશાં સામાન્ય વ્યક્તિ જેવું હોવું જોઇએ. એ વાત જુદી છે કે આપણે એનાથી ઊંધું કરીએ છીએ. હંમેશાં રાતનો ખોરાક આખા દિવસના ખોરાકથી બમણો થઇ જતો હોય છે. અંગ્રેજીમાં નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય છે તે બરાબર જ છે. આખી રાતની આપણી ઊંઘ પછી એટલે કે 8થી 10 કલાક પછી ખોરાક લઇએ તેને આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ.
સવારનો નાસ્તો આખો દિવસ ચલાવવા માટેનું ઇંધણ પૂરું પાડે છે. એ સાયન્ટિફિક રીતે પુરવાર થયેલું છે કે જે લોકો સવારનો નાસ્તો વ્યવસ્થિત કરે છે તેઓ દિવસ દરમિયાન ઓછી કેલેરી લે છે. સવારનો નાસ્તો વ્યવસ્થિત રીતે કરવાથી તમે હેલ્થી અને ખુશ રહી શકો છો. જેઓને ખરેખર વજન ઉતારવું હોય અથવા ઉતારેલું વજન મેન્ટેઇન કરવું હોય તેમણે હંમેશાં સવારે નાસ્તો કરવો જ. સવારનો નાસ્તો ન કરવાથી શરીર પર તેની ખરાબ અસર પડે છે.
સવારનો નાસ્તો ન કરવાથી વ્યક્તિને માનસિક અને શારીરિક નુકસાન થતું હોય છે. જે લોકો નાસ્તો કરવાથી ટેવ રાખે છે તેમને માનસિક તાણ ઓછી રહે છે અને તેઓ વધુ હેલ્થી જીવન જીવી શકે છે. તેઓને ડિપ્રેશન ઓછું આવે છે. સવારના નાસ્તામાં કાર્બોહાઇડ્રેટયુકત પદાર્થોનો સમાવેશ કરવો. નાસ્તામાં પરોઠાં, ભાખરી, કોર્નફ્લેકસ લઇ શકાય. તેનાથી શરીરને ઇંધણ મળી રહે છે અને દિવસભર કામ કરવાની ઊર્જા મળે છે. ખાખરા, મમરા વગેરે ન ખાવા. તેમાં ફાઇબર અને મોઇશ્વરાઇઝર ન હોવાથી પેટ ભરેલું રહેતું નથી.
- બ્રેકફાસ્ટથી જરૂરી પોષક તત્વો મળે છે, જે દિવસની શરૂઆત સારી કરે છે.
- દિવસ દરમિયાન ગમે ત્યારે ભૂખ લાગતી નથી.
- તેનાથી શરીરનું વજન જળવાયેલું રહે છે.
- તેનાથી ખોટી ભૂખ લાગતી ન હોવાથી ખાવાનું મન થતું નથી.
- ટાઇપ-2 ડાયાબીટિસ અને હાર્ટ ડીસીઝથી દૂર રહેવાય છે.
- શરીરમાં હોર્મોન અને બ્લડ સુગરનું લેવલ મેઇન્ટેઇન રાખે છે.
- સવારમાં બેચેની અને ઊંઘ ઉડાવવામાં મદદ કરે છે.
- કોન્સન્ટ્રેશન અને બ્રેઇન પાવર વધે છે.
- વજન મેઇન્ટેઇન રહે છે.
- ઓવરઓલ હેલ્થ સારી થાય છે
No comments:
Post a Comment