Friday, 22 July 2011

પથરીના રોગથી બચવા આટલું કરો


આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણને રોગ મુક્ત રાખે છે. બસ જરૂર છે તેના વિશે યોગ્ય માર્ગદર્શન હોવાની.

જો આપને પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.

-લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
-ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
-નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.
-દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમાવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે)
-પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો

No comments:

Post a Comment