Friday, 22 July 2011

શું તમને પણ 'તે'નું વ્યસન છે?

માઈગ્રેન, આર્થરાઈટિસ કે પછી શરિરના કોઈપણ ભાગમાં થનારા દુખાવથી ઝટપટ મુક્તિ મેળવવા મોટાભાગના લોકો પેનકિલર્સનો ઉપયોગ કરે છે. વિશેષજ્ઞ કહે છે કે દુખાવાની દવાઓનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તેને તમારી ટેવ ન બનાવો. તેનો ખોટો પ્રભાવ પણ થઈ શકે છે. તેનાથી થતી બીમારી વિશે જરાં જાણો.

કબજિયાત
સામાન્ય રીતે શરીરમાં થનારા કોઈપણ પ્રકારના દુખાવાની જગ્યાએ જો આપ પણ પેનકિલર્સનું સેવન કરશો તો કબજિયાતની તક્લિફ રહેશે. તેમાં હાજર કેમિકલ્સના કારણે આમ થઈ શકે છે.

આળસુ બનાવે છે
પેનકિલર્સ વ્યક્તિઓને નર્વસ સિસ્ટમ પર પણ નેગેટિવ અસર કરે છે. તેથી જ પેનકિલર ખાધા બાદ વ્યક્તિને ઉંઘ આવવા લાગે છે. આળસ અનુભવાય છે. આ દવામાં એવા કેમિકલ્સ હોય છે જે દર્દીને દુખાવાનો અનુભવ કરાવતું નથી અને તેને ઘેન તરફ વાળે છે.

હ્રદય સંબંધિત વિકાર
આ દવાઓથી હ્રદયની કાર્યપ્રણાલી અને શ્વસન-પ્રણાલી પર નકારાત્મક અસર પડે છે. તેનાથી હ્રદય ગતિ અનિયંત્રિત થાય છે અને રક્ત સંચાર સામાન્ય રહેતો નથી. એવામાં હ્રદય રોગનો ખતરો વધે છે.

લિવર માટે પણ હાનિકારક
પેનકિલર્સ ખાવાની લત પીડિતના લિવરને પણ ખૂબ નુક્શાન પહોંચાડી શકે છે. તેના વધુ પડતાં સેવનથી લિવર નષ્ટ પણ પામી શકે છે.

No comments:

Post a Comment