Friday, 22 July 2011

અવગણો નહીં પાચનતંત્રની બીમારી, તે બની શકે છે જીવલેણ!

એસિડિટીની બીમારીને એટલી સામાન્ય ન ગણો તેનાથી મોટી જીવલેણ બીમારી થવાના ઘણાં ખતરા છે

દેશનાં આશરે 75 ટકા લોકો પાચન સંબંધિત પરેશાનિયોથી પિડાય છે. આને ડોક્ટરની ભાષામાં 'ગેસ્ટ્રોઈસોફેજિયલ રિફલક્સ ડિસઓર્ડર' (ગર્ડ) કહેવામાં આવે છે.

આ બીમારીને પેટમાં પડેલું ખાવાનું પચાવવામાં મુશ્કેલી પડે છે. અને તેને કારણે આંતરિક ત્વચાને નુક્શાન પહોંચે છે.

પાચનતંત્ર સંબંધિત બીમારિઓના નિષ્ણાંત ડોક્ટરનું કહેવું છે કે એસીડીટીની બિમારીને સામાન્ય ન લો. આ બીમારીની જો યોગ્ય સારવાર લેવામાં ન આવે તો તેનાથી પેટનું કેન્સર થવાની પુરેપુરી શક્યતાઓ રહે છે.

આ બીમારીથી પિડાતા લોકોમાં કેન્સર થવાના ચાન્સ 20 ટકા જેટલાં હોય છે.

દાદીમાના આ નુસખાં આપના એસીડીટીને કારણે આપના પેટનો દર્દ ભગાવવામાં મદદરૂપ નિવળશે...

- રાતે સુતા સમયે આમળા 3 ભાગ, હરડે 2 ભાગ તથા બહેડા 1 ભાગ- આ બારીક ચુર્ણ કરીને એક ચમચી નવશેકા પાણી સાથે લો.તેનાથી પેટ એકદમ સાફ આવે છે અને ખુલીને ભુખ લાગે છે.

-ભોજનમાં હલકા વ્યંજનો નો પ્રયોગ કરીને ખાવાથી તે જલ્દી પચી જાય છે,જેનાથી જલ્દી ભુખ લાગે છે.

-જમ્યા બાદ અજમાનું ચુર્ણ થોડા ગોળ ની સાથે ખાઇને નવશેકું પાણી પીવું,જેથી ખાવાની રૂચિ થશે,ભુખ લાગશે.

-કોથમીર,લીલું મરચું,આદું,ફુદીનો,જીરૂં,હીંગ,મીઠું,સંચળ નાખીને ખાંડણી- દસ્તામાં પીસીને બનાવેલી ચટણી ખાવાથી ભોજનની ઇચ્છા થાય છે.

-એક ગ્લાસ છાશમાં સંચળ,મીઠું,પીસેલું જીરૂં નાખીને પીવાથી પાચન ક્રિયા તેજ બનીને અપચો મટે છે.

- ભોજન બાદ 5- 10 મિનિટ ફરવું એ પાચનમાં સહાયકરૂપ થાય છે.

-ભોજન કર્યા બાદ વજ્રાસનમાં થોડી વાર બેસવું એ અત્યંત લાભદાયક રહે છે.

No comments:

Post a Comment