આયુર્વેદ પ્રમાણે વાયુ વિના પીડા થતી નથી. શૂળનું મૂળ કારણ વાયુનો પ્રકોપ હોય છે. સામાન્ય રીતે વાત પ્રકોપ આહારનું સેવન કરવાથી વાયુ પ્રકોપ પામી જ્યારે કટપિ્રદેશમાં સ્થિર થાય છે ત્યારે રસવહ સ્ત્રોતનો અવરોધ થાય છે અને પ્રકૃપિત વાયુ કમરમાં વેદના ઉત્પન્ન કરે છે, જે અસહ્ય હોય છે. વાતપ્રકોપ આહારના સેવનથી, શક્તિથી વધુ શ્રમ કરવાથી, વારંવાર વમન વિરેચન લેવાથી, શરીરમાં માર વાગવાથી, અધિક ભયભીત થવાથી તથા રાત્રિના ત્રીજા પ્રહરમાં વાયુનો પ્રકોપ થાય તેવા સમયે ભોજન લેવાથી પણ વ્યક્તિ કમરના દુખાવાનો ભોગ બને છે. તેમાંથી છુટકારો મેળવતા ઇલાજને કટિબસ્તિ કહે છે.
ચિકિત્સા
- રોગીને સ્નેહન તેમજ સ્વેદન કરાવવું જોઇએ.
- સ્નેહન માટે ક્ષીરબલા તેલ, મહાનારાયણ તેલ કે વિષગર્ભ તેલનો પ્રયોગ કરવો જોઇએ.
- સમ્યક પ્રકારે સ્નેહન કરાવવું જોઇએ. સ્વેદન માટે દશમુલ કવાથથી બાષ્પસ્વેદ આપી સ્વેદન કરાવવું.
- કટિપ્રદેશમાં તેલ વડે અભ્યંગ કરી નિરગુન્ડીનાં પાન દ્વારા પત્રપિંડ સ્વેદન કરાવવું જોઇએ.
કટિબસ્તિ પ્રયોગ કરવો જોઇએ. કટિપ્રદેશમાં અડદના લોટની દીવાલ બનાવી તેમાં થોડું થોડું સુખોષ્ણ એટલે સહી શકાય તેવું ક્ષીરબલા તેલ ભરી દેવું જોઇએ.
થોડા સમય સુધી તેલ ભરી રાખવું જોઇએ. ત્યારબાદ ઠંડું પડ્યા પછી તેલ કાઢી ફરી સુખોષ્ણ તેલ ભરવું જોઇએ. એક કલાક સુધી આ પ્રક્રિયા કરવી જોઇએ. થોડા દિવસોમાં કટપિ્રદેશમાં
પ્રકૃપિત વાયુનું શમન થઇ કમરનો દુખાવો શાંત થાય છે.
ઔષધોપચાર
- અશ્વગંધા ચૂર્ણ ૩ થી ૬ ગ્રામની માત્રામાં ૧ ગોળી વિષતિન્દુકવટી મેળવી દૂધ સાથે આપવી.
- આરોગ્યવધિર્ની, વાતાગજાંકુશ અથવા મહાવાતવિધ્વંસકરસ, વાતગજેન્દ્રસિંહ ત્રણે ૨ રતિની માત્રામાં લઇ દિવસમાં ૩ વાર મધ સાથે આપવું.
- મહાયોગરાજ ગૂગળની ૧ ગોળી મહારાસ્નાદિ કવાથ સાથે આપવી.
- અશ્વગંધારિષ્ટ, બલારિષ્ટ, દશમુલારિષ્ટ ૨-૨ ચમચી લઇ તેમાં સમાન ભાગે પાણી ઉમેરી આપવું જોઇએ.
આહાર-વિહાર
કમરના દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવવા ખાવા-પીવામાં પણ થોડી કાળજી લેવી જરૂરી છે. તો શું ખાવું? શું ન ખાવું? અને શું ન કરવું જોઇએ એ અંગે થોડું જાણીએ.
શું ન ખાવું?:
કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.
શું ન કરવું?:
ઉજાગરા ન કરવા જોઇએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.
શું ખાવું?:
સાદો-સુપાચ્ય આહાર લેવો. વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો.
વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. તેમાંથી છુટકારો મેળવવાના ઇલાજને કટિબસ્તિ કહે છે.
ચિકિત્સા
- રોગીને સ્નેહન તેમજ સ્વેદન કરાવવું જોઇએ.
- સ્નેહન માટે ક્ષીરબલા તેલ, મહાનારાયણ તેલ કે વિષગર્ભ તેલનો પ્રયોગ કરવો જોઇએ.
- સમ્યક પ્રકારે સ્નેહન કરાવવું જોઇએ. સ્વેદન માટે દશમુલ કવાથથી બાષ્પસ્વેદ આપી સ્વેદન કરાવવું.
- કટિપ્રદેશમાં તેલ વડે અભ્યંગ કરી નિરગુન્ડીનાં પાન દ્વારા પત્રપિંડ સ્વેદન કરાવવું જોઇએ.
કટિબસ્તિ પ્રયોગ કરવો જોઇએ. કટિપ્રદેશમાં અડદના લોટની દીવાલ બનાવી તેમાં થોડું થોડું સુખોષ્ણ એટલે સહી શકાય તેવું ક્ષીરબલા તેલ ભરી દેવું જોઇએ.
થોડા સમય સુધી તેલ ભરી રાખવું જોઇએ. ત્યારબાદ ઠંડું પડ્યા પછી તેલ કાઢી ફરી સુખોષ્ણ તેલ ભરવું જોઇએ. એક કલાક સુધી આ પ્રક્રિયા કરવી જોઇએ. થોડા દિવસોમાં કટપિ્રદેશમાં
પ્રકૃપિત વાયુનું શમન થઇ કમરનો દુખાવો શાંત થાય છે.
ઔષધોપચાર
- અશ્વગંધા ચૂર્ણ ૩ થી ૬ ગ્રામની માત્રામાં ૧ ગોળી વિષતિન્દુકવટી મેળવી દૂધ સાથે આપવી.
- આરોગ્યવધિર્ની, વાતાગજાંકુશ અથવા મહાવાતવિધ્વંસકરસ, વાતગજેન્દ્રસિંહ ત્રણે ૨ રતિની માત્રામાં લઇ દિવસમાં ૩ વાર મધ સાથે આપવું.
- મહાયોગરાજ ગૂગળની ૧ ગોળી મહારાસ્નાદિ કવાથ સાથે આપવી.
- અશ્વગંધારિષ્ટ, બલારિષ્ટ, દશમુલારિષ્ટ ૨-૨ ચમચી લઇ તેમાં સમાન ભાગે પાણી ઉમેરી આપવું જોઇએ.
આહાર-વિહાર
કમરના દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવવા ખાવા-પીવામાં પણ થોડી કાળજી લેવી જરૂરી છે. તો શું ખાવું? શું ન ખાવું? અને શું ન કરવું જોઇએ એ અંગે થોડું જાણીએ.
શું ન ખાવું?:
કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.
શું ન કરવું?:
ઉજાગરા ન કરવા જોઇએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.
શું ખાવું?:
સાદો-સુપાચ્ય આહાર લેવો. વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો.
વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. તેમાંથી છુટકારો મેળવવાના ઇલાજને કટિબસ્તિ કહે છે.
No comments:
Post a Comment